CAA, NRC : અમદાવાદ શહેરમાં 9 ફેબ્રુઆરી સુધી કલમ 144 લાગુ

સોમવાર, 27 જાન્યુઆરી 2020 (10:37 IST)
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શહેરની હદમાં 26 જાન્યુઆરી સવારે 6 વાગ્યાથી 9 ફેબ્રુઆરી મધ્યરાત્રિ સુધી કલમ 144 લાગુ કરી છે.
 
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે નાગરિકતા સંશોધન કાયદો, એનઆરસીની વિરુદ્ધમાં દેખાવોની શક્યતા જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
 
જાહેરનામામાં કહેવાયું કે થોડા સમય પહેલાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીને લઈને વિરોધપ્રદર્શન થયું હતું, જેમાં એનએસયુઆઈ અને એબીવીપીના સભ્યો વચ્ચે ઘર્ષણ થયું હતું.
 
જાહેરાનામાનો ભંગ કરનારા કોઈ પણ વ્યક્તિ કે સમૂહ સામે કલમ 188 અને 135 અંતર્ગત ફરિયાદ કરાશે એમ કહેવાયું છે.
 
આ જાહેરનામા અનુસાર આ આદેશ સરકારી ડ્યૂટી, અંતિમયાત્રા, હોમગાર્ડ ટ્યૂટી અને લગ્નના વરઘોડા પર લાગુ નહીં થાય.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર