ઘર્મ શાસ્ત્ર મુજબ જમણો પગ પહેલા બહાર મુકવો શુભ માનવામાં આવે છે. બધા જ ધર્મોમાં જમણા અંગને વિશેષ મહત્વ આપવામાં આવે છે. જમણા હાથ વડે કરવામાં આવેલ કામ શુભ માનવામાં આવે છે. દેવી દેવતા માટે પણ જમણા હાથથી કરવામાં આવેલ કાર્ય જ માન્ય ગણાય છે. ઈશ્વર સિવાય ક્યારેય કોઈ કામ પુર્ણ થઈ શકતુ નથી. તેથી બધા પ્રકારની પૂજા-અર્ચના જમણા હાથથી કરવામાં આવે છે. તેથી મહત્વના કામ માટે બહાર નીકળતી વખતે પહેલા જમણો પગ બહાર મુકવો. આ શુભ શરૂઆત રહેશે. તેના કારણે શુભ ફળ ચોક્કસ મળશે.