પૂજન સામગ્રી- શુદ્ધ ઘી નો દીપક , ધૂપબત્તી , કંકુ , કેસર , ચોખા , જળનું પાત્ર ,પુષ્પ , કાચું દૂધ ,પુષ્પ , ચાંદીનું વર્ક , ઈત્ર , કપૂર અને નૈવૈદ્ય એટલે કે પ્રસાદની વ્યવસ્થા પૂર્વમાં કરીને રાખી લો.
પૂજન વિધિ - શુભ મૂહૂર્તમાં સવારે સ્નાન કરી વસ્ત્ર ધારણ કરો. એક પાત્રમાં સામે શંખ રાખી લો. તેને દૂધ અને જળથી સ્નાન કરાવો. સાફ કપડાથી લૂંછી તેના પર ચાંદીના વર્ક લગાડો. ઘીનો દીપક પ્રગટાવી ધૂપબત્તી પ્રગટાવો. દૂધ અને કેસર મિશ્રિત ઘોલથી શંખ પર શ્રી એકાક્ષરી મંત્ર લખી તેને તાંબા કે ચાંદીના પાત્રમાંસ થાપિત કરી દો. હવે નીચે લખેલું મંત્રનો જાપ કરતા તેના પર કંકુ ,ચોખા , ઈત્ર અર્પિત કરો. શ્વેત પુષ્પ શંખ ચઢાવીને પ્રસાદ ભોગના રૂપમાં અર્પિત કરો.