- શાસ્ત્રોમાં ઘી ના દીવાને સર્વશ્રેષ્ઠ બતાવ્યો છે. કારણ કે ઘી ને શુભ માનવામાં આવે છે.
- પૂજા પછી પણ અનેક કલાકો સુધી દીવો પ્રગટતો રહે એ શુભ માનવામાં આવે છે. તેથી દીવામાં સારા પ્રમાણમાં તેલ કે ઘી નાખો.
કેમ મહત્વપૂર્ણ છે દીવો પ્રગટાવવો
એવુ કહેવાય છે કે દીવો જ મનુષ્યને અંધકારના જંજાળમાંથી અજવાળાની તરફ લઈ જાય છે. શાસ્ત્રો મુજબ પૂજનમાં પંચામૃતનુ ખૂબ મહત્વ છે અને ઘી એ જ પંચામૃતમાંથી એક છે. તેથી ઘી નો દીપક પ્રગટાવવાને ઉત્તમ કહેવામાં આવ્યો છે. ઘી વાળો દીવો ઓલવાયા પછી ચાર કલાકથી પણ વધુ સમય સુધી સાત્વિક ઊર્જા બનાવી રાખે છે. જ્યોતિષ મુજબ દીવાને સકારાત્મકતાનુ પ્રતીક અને દરીદ્રતા દૂર કરનારો માનવામાં આવે છે.