પ્રાચીન સમયથી જ મનુષ્ય ઈશ્વરને પ્રસન્ન કરવા માટે અને પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે દેવી-દેવતાઓનુ પૂજન કરતો આવ્યો છે. આમ તો ભોળા ભાવથી શ્રદ્ધાપૂર્વક જેવુ પણ પૂજન કરવામાં આવે તે દેવી-દેવતાઓને સ્વીકાર્ય હોય છે. પણ તે શુભ ફળ પ્રાપ્ત નથી થતુ જે થવુ જોઈએ. તમે પોતે વિચાર કરો કે ક્યાક પૂજા કરતી વખતે તમે તો આવી ભૂલ નથી કરતા. જો પૂજા કરતી સમયે તમે કેટલીક વાતોનુ ધ્યાન રાખશો તો ગરીબી ક્યારેય તમારે દ્વાર નહી આવે.
- ભગવાનને પુષ્પ હાથોને બદલે કોઈ પવિત્ર પાત્રમાં મુકીને ચઢાવો
- ઘરના પૂજા ઘરમાં સવાર અને સાંજ એક દીવો ઘી નો અને એક દીવો તેલનો જરૂર પ્રગટાવો. યાદ રાખો કે ક્યારેય દીવાથી દીવો ન પ્રગટાવો. આવુ કરવાથી શરીરમાં રોગોનો સંચાર થાય છે.