આ ઉપાયથી દૂર થઈ જશે મંગલ દોષ

મંગળવાર, 2 મે 2017 (15:34 IST)
રામ ભક્ત હનુમાનને સંકટ મોચનના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમની પૂજા માટે મંગળવારનો દિવસ રાખવામાં આવ્યો છે. કારણ કે તેમનો જન્મ મંગળવારના દિવસે થયો હતો. 
 
આ દિવસ ધાર્મિક હિસાબથી ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. બધા બગડેલા કામને ઠીક કરવા માટે આ દિવસ સૌથી યોગ્ય છે. રામ ભક્ત હનુમાનની શરણમાં જે આવે છે તેના જીવનની નૈયા પાર થઈ જાય છે. આવો જાણીએ મંગળવાર વિશેષમાં હનુમાનજીના કેટલાક શક્તિશાળી મંત્ર વિશે... 
 
આ 5 મંત્રો વિશે જેનો જાપ કરવાથી તમારા બધા અમંગલ કાર્ય મંગલ થઈ જશે 
 
મંગળવારના દિવસે સવાર સવારે ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને હનુમાનજીની પૂજા કરો. ત્યારબાદ હનુમાનના આ 5 અસરદાર મંત્રોનો જાપ કરો. 
 
1.ॐ रूवीर्य समुद्भवाय नम: 
2. ॐ शान्ताय नम: 
3. ॐ तेजसे नम: 
4. ॐ प्रसन्नात्मने नम:
5. ॐ शूराय नम:
 
ચંદનમાં લગાવેલ લાલ ફૂલ અને અક્ષત (ચોખા) લઈને હનુમાનજીના ચરણોમાં અર્પિત કરો. તમારા સુખી જીવનની કામના કરો. 

વેબદુનિયા પર વાંચો