Dattatreya Jayanti 2020: જાણો દત્તાત્રેય જયંતીનુ શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને પૌરાણિક માન્યતા

મંગળવાર, 29 ડિસેમ્બર 2020 (09:12 IST)
દેશમાં દર વર્ષે માર્ગશીર્ષ મહિનામાં શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ પર દત્તાત્રેય જયંતી પૂર્ણ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. દત્તાત્રેય જયંતી ભગવાન દત્તાત્રેયના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન દત્તાત્રેય એક  સમધર્મી દેવ છે અને તેમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો મિશ્રિત સ્વરૂપ માનવામાં આવે છે.
 
આ વર્ષે 29 ડિસેમ્બરે દત્તાત્રેય જયંતીની ઉજવણી કરવામાં આવશે. જો તમે પણ દત્તાત્રેય જયંતી પર પ્રાર્થના કરવા માંગતા હો, તો તમે ભગવાન દત્તાત્રેયને આ શુભ સમયે આરાધના કરી શકો છો -
 
દત્તાત્રેય જયંતી 2020નુ શુભ  મુહૂર્ત
 
29 ડિસેમ્બર, 2020 ને મંગળવારે દત્તાત્રેય જયંતી
પૂર્ણિમા તિથિની શરૂઆત -  સવારે 07:54 વાગ્યાથી 
પૂર્ણિમા તિથિ સમાપ્ત - રાત્રે  08:57 સુધી
 
ભગવાન દત્તાત્રેય વિશેની આ ધાર્મિક માન્યતા છે
 
પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન દત્તાત્રેયના 3 માથા અને 6 હાથ છે. દત્તાત્રેય જયંતી  ભગવાનના બાળ સ્વરૂપની ઉપાસનાના કરવામાં આવે છે. વળી, ભગવાન દત્તાત્રેયને ભગવાન વિષ્ણુના 24 અવતારોમાંથી છઠ્ઠો અવતારમાનવામાં આવે છે. દત્તાત્રેય એવા એક અવતાર છે જેમણે 24 ગુરુઓ પાસેથી શિક્ષણ મેળવ્યું. મહારાજ દત્તાત્રેય જીવનભર બ્રહ્મચારી, અવધૂત અને દિગમ્બર હતા. ભગવાન દત્તાત્રેયની ઉપાસનામાં, અહંકાર છોડી જીવનને જ્ઞાન દ્વારા સફળ બનાવવાનો સંદેશ આપે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર