Budhwar Na Upay: આપણા જીવનમાં અનેક વસ્તુઓનો સંબંધ ગ્રહો સાથે હોય છે પણ આપણે તેને જાણતા-અજાણતા નજરઅંદાજ કરી દઈએ છીએ. આ ગ્રહોમાંથી એક છે બુધ ગ્રહ. બુધ ગ્રહ સાથે સંબંધિત દોષ તમારી વ્યવસાયિક અસફળતાઓ, નિર્ણય ક્ષમતાની કમજોરી, બહેન-પુત્રીના સુખમાં કમી, અભ્યાસ પર અસર, આકર્ષણહીનતા, વિવાદોમાં ફસવા જેવી સમસ્યાઓનુ કારણ બની શકે છે. આવો જાણીએ બુધવારના દિવસે કયા ઉપાય કરવાથી તમારી કુંડળીનો બુધગ્રહ મજબૂત બનાવી શકાય છે. બુધવારના કેટલાક ખાસ ઉપાય તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા લાવવામાં સહાયક રહેશે.
લીલી વસ્તુઓનુ કરો દાન - જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ અશુભ છે તો લીલા શાકભાજી, લીલા અનાજ, પત્તેદાર ચારા વગેરેનુ દાન કરો. તેને કોઈ મંદિર કે ગૌશાળામાં અર્પિત કરવાથી લાભ થશે.
બુદ્ધિ અને જ્ઞાન સાથે જોડાયેલા કાર્ય કરો - બુધવારના દિવસે અભ્યાસ, લેખન, ગણના કે ફાઈલોને વ્યવસ્થિત કરવી ખૂબ શુભ માનવામાં આવે છે.