ગૌતમ ઋષિ સાથે સંકળાયેલો ઈતિહાસ
પ્રચલિત માન્યતાઓ મુજબ એક વાર ગૌતમ ઋષિએ અજાણે એક જીવની હત્યા કરી નાખી. એ પછી તેમણે પ્રાયશ્ચિત કરવા માટે કડક તપસ્યા કરી અને અહીંના સરોવરમાં સ્નાન કર્યુ. આથી એ જીવહત્યાના પાપથી મુક્ત થઈ ગયા. ત્યારપછીથી અહી કુંડમાં સ્નાન કરવાની પરંપરા શરૂ થઈ. અહીં મેળો પણ ભરાય છે કે જેમાં લાખો શ્રદ્ધાળું દર્શન કરવા અને પાપથી મુક્તિ મેળવવા આવે છે.