જો તમે માંગલિક છો તો અજમાવો આ 5 અચૂક ટોટકા (વીડિયો)
મંગળવાર, 4 એપ્રિલ 2017 (09:57 IST)
- જ્યોતિષ મુજબ જો તમારી કુંડળીમાં મંગળ છે અને આ જ કારણે તમારુ લગ્ન નથી થઈ રહ્યુ કે પછી લગ્ન થયા પછી વૈવાહિક જીવનમાં સંકટ ઉભુ થઈ રહ્યુ છે તો અમારા દ્વારા બતાવેલ 5 ઉપાયો અપનાવો અને નિશ્ચિત થઈ જાવ... તમારો મંગલ દોષ શાંત થઈ જશે
1. પ્રથમ ઉપાય - જો લગ્ન નથી થયુ તો કુંભ વિવાહ કરો કે ઉજ્જૈનમાં મંગળનાથ પર ભાત પૂજન કરાવો. 43 દિવસ સુધી ગાયને રોટલીમાં ગોળ લપેટીને ખવડાવો
2. બીજો ઉપાય - મંગળના કારણે વૈવાહિક જીવનમાં સંકટ ઉભુ થઈ ગયુ છે તો બધા પ્રકારના વ્યસન ત્યજીને હનુમાનજીની શરણમાં રહીને પ્રતિદિન હનુમાન ચાલીસા વાંચો, મંગળવારનુ વ્રત કરો અને હનુમાનજીને સિંદૂર તેમજ ચોલા ચઢાવો
3. ત્રીજો ઉપાય - આંખમાં સફેદ સુરમો લગાવો. કોઈપણ કરિયાણાની દુકાન પરથી તમને આ સુરમો આખો(ગાંગડા) મળે તો તેને વાટીને કાજળની જેમ લગાવો.
4. ચોથો ઉપાય - વહેતા પાણીમાં રેવડી, બતાશા કે મધ વહેવડાવો.. ધ્યાન રાખો કે પાણી સ્વચ્છ અને વહેતુ હોય...
5. પાંચમો ઉપાય - મસૂર, મીઠાઈ કે ગળ્યા ભોજનનુ દાન કરો. લોકોને ગોળ વહેંચો કે મંદિરમાં ગોળનુ દાન કરો.