આસારામ બાપૂ પર રેપ કેસ નહી ચાલે - જોધપુર પોલીસ

સોમવાર, 26 ઑગસ્ટ 2013 (12:31 IST)
P.R
આધ્યાત્મિક ગુરૂ આસારામ બાપૂ પર કિશોર બાળા સાથે બળાત્કારનો કેસ નહી ચાલે. બળાત્કારની પુષ્ટિ ન થવાથી જોઘપુર પોલીસે ધારા 376 પરત લેવાનો નિર્ણય કર્યો છે. તેમના વિરુદ્ધ યૌન ઉત્પીડનનો કેસ ચાલશે.

જોઘપુર એસપી અજય લાંબાએ કહ્યુ છે કે બળાત્કારની ચોખવટ થઈ નથી. તેથી કેસ પરત લઈ લેવામાં આવ્યો છે. હવે આસારામ વિરુદ્ધ યૌન ઉત્પીડનનો કેસ નોંઘવામાં આવ્યો છે.

કિશોર બાળા સાથે યૌન શોષણના આરોપી આસારામને જોઘપુર પોલીસ પૂછપરછ માટે બોલાવ્યા છે. પોલીસનુ કહેવુ છે કે જો આસારામ 30 ઓગસ્ટ સુધી હાજર નહી થાય તો તેમની ધરપકડ થઈ શકે છે. જોઘપુર પોલીસ સોમવારે અમદાવાદમાં આસારામને નોટિસ આપશે.

વેબદુનિયા પર વાંચો