આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિ છે. આ દિવસ વિશેષ રૂપે શિવ શક્તિને સમર્પિત છે. આ તિથિને ગણગૌર ત્રીજ અથવા ઈસર-ગૌરના નામથી ઓળખાય છે. કરવાચોથની જેમ આ તહેવાર પણ કુંવારી અને પરણેલી મહિલાઓ માટે ખાસ છે. આમ તો આ તહેવારની ખાસિયત છે કે તેને 16 દિવસ સુધી ઉજવવામાં આવે છે. રાજસ્થાનમાં લગ્ન પછી આવતી પ્રથમ ગણગૌર ત્રીજી ખૂબ ખાસ માનવામાં આવે છે. આ ફક્ત મહિલાઓ જ નહી પુરૂષો માટે પણ એટલી જ મહત્વની છે. તન, મન અને ધનથી જોડાયેલ બધા સુખ અને કામનાઓને પૂર્ણ કરવાની અચૂક તક છે. આજથી લઈને 16 દિવસ સુધી કરો ખાસ ઉપાય..
- દેવી ભાગવતના મુજબ, વેદ પાઠનુ ઉચ્ચારણ કરવાની સાથે સાથે કર્પૂર, અગરુ (સુગંધિત વનસ્પતિ). કેસર, કસ્તુરી અને કમળના જળથી દેવી પાર્વતીના સ્વરૂપને સ્નાન કરાવવાથી કોઈપણ પ્રકારનુ પાપનો નાશ થાય છે. અને જીવનના દરેક મુકામમાં સફળતા પ્રાપ્ત થાય છે.