આંધ્ર પ્રદેશની તિરુપતિમાં સ્થિત તિરુમાલા બાલાજી મંદિરના લાડુઓમાં નિયમિત ફૈટના અંશ જોવા મળ્યા પછી મંદિરના પ્રસાદને લઈને નવી ચર્ચા છેડાય ગઈ છે. તિરુપતિ બાલાજીનો પ્રસાદ બનાવવામાં જે ઘી નો ઉપયોગ કરવામાં આવ્યો તેમા ભેંસ, સૂઅરની ચરબી જોવા મળી છે. હવે મુંબઈના જાણીતા શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના મહાપ્રસાદમાં પણ ઉંદરના બચ્ચા જોવા મળ્યા છે. સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ તરફથી શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવતા મહાપ્રસાદ લાડુના પેકેટમાં ઉંદર પડેલા દેખાય રહ્યા છે. અનેક પેકેટ કતરેલા પણ જોવા મળ્યા. આ દરમિયાન મંદિર પ્રશાસને મામલાની તપાસ કરવાની વાત કરી છે.