અતીકની ફરી UPની બાય રોડ સફર- વારંટ લઈને સાબરમતી જેલ પહોંચી UP પોલીસ

મંગળવાર, 11 એપ્રિલ 2023 (13:16 IST)
યુપી પોલીસની ટીમ આજે ફરી ગુજરતની સાબરમતી જેલ પહોચી છે. જણાવાઈ રહ્યુ છે કે યુપી પોલીસ અતીક અહેમદને ઉમેશ પાલ હત્યાકાંડ કેસમાં પૂછપરછ માટે પ્રયાગરાજ લઈને આવશે. આ મામલામાં પ્રયાગરાજ પોલીસએ પહેલા જ કોર્ટથી બી વારંટ મેળવી લીધુ હતુ. આ વારંટ પર કોઈ તારીખ નક્કી નથી કરાઈ હતી પણ પોલીસએ એક જૂના કેસમાં અતીકથી જેલમાં પૂછપરછ કરી નિવેદન નોંધાવવા માટે પણ કોર્ટથી મંજૂરી લીધી છે. 
 
માહિતી અનુસાર, બી વોરંટ પર, પોલીસ અતીકને પ્રયાગરાજ લાવશે અને ઉમેશ પાલ હત્યા કેસમાં તેની ન્યાયિક કસ્ટડી મેળવશે. આ પછી, પોલીસ તેમને તેમની કસ્ટડીમાં લેવા માટે કોર્ટમાં અરજી દાખલ કરશે. ખરેખર, યુપી પોલીસ અતીક અહેમદના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તૈયારી કરી રહી છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર