કેજરીવાલની સભામાં મોદી-મોદીના નારા લગાવ્યા

રવિવાર, 2 એપ્રિલ 2017 (09:50 IST)
દિલ્હીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ રવિવારે એક આમ સભા સંબોધિત કરી ત્યાં એ આમ આદમી પાર્ટી માટે વોટ માંગ્યા પણ કેજરીવાલ માટે તે સમયે વિચિત્ર સ્થિતિ બની ગઈ જ્યારે તેમની રેલીમાં મોદી મોદીના નારા લગવા લાગ્યા. તેના જવાબમાં અરવિંદ કેજરીવાલએ કીધું.. 
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે નોટબંધીથી ભ્રષ્‍ટાચાર અને કાળું ધન પૂરી રીતે ખત્મ થઈ જશે તો હું મોદી-મોદીના નારા લગાવીશ. કેજરીવાલે વધુમાં કહ્યું કે કેજરીવાલે વધુમાં કહ્યું કે- નોટબંધી પાછી ખેંચવાની પોતાની માગણી દોહરાવતાં કહ્યું હતું કે ‘વડા પ્રધાન પોતાનો નોટબંધીનો નિર્ણય પાછો લે.નોટબંધીનો નિર્ણય જો પાછો લેવામાં ન આવ્‍યો તો દેશની અર્થવ્‍યવસ્‍થા બરબાદ થઇ જશે.નોટબંધીનો નિર્ણય જો પાછો લેવામાં ન આવ્‍યો તો દેશની અર્થવ્‍યવસ્‍થા બરબાદ થઇ જશે.
 
વેપારીઓનું એક જૂથ મોદી-મોદીની નારા- બાજી કરી રહ્યું હતું ત્‍યારે કેજરીવાલે કહ્યું હતું કે ‘જો નોટબંધી હકીકતમાં ભ્રષ્‍ટાચાર અને કાળું ધન ખતમ કરી દે તો હું મોદી-મોદીના નારા લગાડીશ. અમે અણ્‍ણા સાથે ભ્રષ્‍ટાચારવિરોધી આંદોલનમાં અમારી જિંદગીઓ જોખમમાં નાખી હતી.'
 
 

વેબદુનિયા પર વાંચો