વજુભાઈ વાળાનો ભવ્ય વિજય

P.R
રાજકોટ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ-2ની સીટ ઉપ્ર ભાજપના ઉમેદવાર વજુભાઈ વાળાએ કોંગ્રેસના કાશ્મીરાબેન નથવાણીને હરાવતા સરગમ પરિવારમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયુ છે.

સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ સરગમની વિવિધ ક્લબોના 13 હજારથી વધુ સભ્યોનો વતી અભિનંદન આપતા જણાવ્યુ કે વજુભાઈને મળેલો વિજય જનતાનો વિજય છે. લોકોએ ભાજપે કરેલા વિકાસને મત આપ્યો છે અને કોગ્રેસના આરોપોનો જડબાતોડ જવાબ આપ્યો છે. વજુભાઈ વાળાએ સતત છઠ્ઠી વાર ચૂંટાઈને રાજકોટનું અને સરગમ પરિવારનું ગૌરવ વધાર્યુ છે.

ગુણવંતભાઈએ મોદીનો પણ જીત અપાવવા બદલ આભાર માન્યો છે.

વેબદુનિયા પર વાંચો