આર્થિક પરેશાની દૂર કરે છે આ રામબાણ ઉપાય

મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (17:35 IST)
જો તમારું કોઈ કામ સફળ નહી થઈ રહ્યા હોય, લાખ કોશિશ બાદ પણ પૈસા નહી રોકાતા , તમે ઈચ્છીને પણ નહી કરી શકતા તો ઘબરાબો નહી અમે જણાવીએ છે તમને એવા કેટલાક ઉપાય જે તમારી બધી પરેશાનીઓને હમેશા માતે દૂર અ કરી નાખશે. 
શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક પૂર્ણિમા પર સવારે 10 વાગ્યે પીપળના ઝાડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આથી જે માણસ આર્થિક સમસ્યાથી ભોગી રહ્યા હોય તો , તેણે આ સમયે પીપળના ઝાડની પૂજા કરવી જોઈએ. તેની સાથે જ જળ ચઢાવવું અને લક્ષ્મીજીની ઉપાસના કરવી અને લક્ષ્મી મંત્રની એક માળા નો જાપ કરો.  ધીમેધીમે બધી પરેશાનીઓ ખત્મ થઈ જશે. 
 
કોઈ પણ શુભ મૂહૂર્ત કે અક્ષય તૃતીયા કે પૂર્ણિમાના દિવસે સવારે જલ્દી ઉઠવું. સાફ સુથરા થઈને લાલ રેશમી કપડા લો. હવે તે લાલ કપડામાં ચોખાના 21 દાણા મૂકો. ધ્યાન રાખવું કે ચોખાના બધા દાણા આખા હોય કોઈ તૂટેલા ન રાખવું. આ બન્નેને કપડામાં બાંધી લો. 
 
ત્યારબાદ ધનની દેવી માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજન કરો. પૂજામાં આ લાલ કપડામાં બંધેલા ચોખા પણ મૂકો. પૂજન પછી આ લાલ કપડામાં બાંધી ચોખા તમારા પર્સમાં છુપાવીને રાખી લો. 
 
આવું કરવાથી થોડા જ સમયમાં ધન સંબંધી પરેશાનીઓ દૂર થવા લાગશે. ધ્યાન રાખો કે પર્સમાં કોઈ પણ પ્રકારની અધાર્મિક વસ્તુ ન રાખવી. તે સિવાય પર્સમાં ચાવી નહી રાખવી જોઈએ. સિક્કા અને નોટને યોગ્ય રીતે રાખવું.

વેબદુનિયા પર વાંચો