ઘરના મહત્વપૂર્ણ ભાગમાંથી રસોડુ પણ એક છે. જો આ ભાગમાં વાસ્તુદોષ હોય તો ઘરમાં રહેનારા લોકોના આરોગ્ય અને કમાણી પર તે ખરાબ પ્રભાવ નાખે છે. રસોઈ વ્યવસ્થિત, શુદ્ધ અને સાફ સુથરી હોવી જોઈએ. આવા રસોડામાં દેવી-દેવતા પોતાનો સ્થાઈ વાસ બનાવી લે છે. જેનાથી ઘરમાં ક્યારેય પણ ધન અને સુખ-સમૃદ્ધિની કમી નથી રહેતી.
- રસોડામાં સ્ટોર બનાવવાથી જોબ અને વેપારમાં પ્રમોશન નથી થતુ.
- જે ઘરમાં રસોડુ અને વોશરૂમ એક લાઈનમાં હોય ત્યાના સભ્યોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ રહે છે. પુત્રીઓના જીવનમાં પણ અશાંતિ રહે છે.
- મુખ્યદ્વારની બિલકુલ સામે કિચન હોવુ અપશકુનનુ પ્રતિક હોય છે.
- સ્નાન કર્યા વગર કિચનમાં જવાથી નકારાત્મક ઉર્જા વધે છે.
- દક્ષિણ પૂર્વ દિશામાં બનેલ કિચન અન્ન-ધનના ભંડાર ભરે છે.
- સિંક(વોશબેસિન) ને રસોડાના ઉત્તરપૂર્વમાં બનાવડાવો. જળ અને અગ્નિ વચ્ચે વેર હોય છે તેથી સિંક અને ચૂલ્હાને એક લાઈનમાં ન મુકવુ જોઈએ.
- ઈલેક્ટ્રોનિક ઉપકરણોને દક્ષિણ પૂર્વ અથવા દક્ષિણ દિશામાં મુકવા જોઈએ.
- ગેસ સ્ટવ અને ઈંડક્શન ચૂલાને દક્ષિણ પૂર્વ દિશામાં મુકો. દીવાલથી ઓછામાં ઓછુ 3 ઈંચનુ અંતર હોવુ જોઈએ અને ચૂલા પર શેલ્ફ(અલમારી/કબાટ) ન હોવા જોઈએ.