99 નોટ આઉટ છે કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની
ભલે મોટાભાગના લોકો આ વાત પર વિશ્વાસ ન કરે પણ ભારતીય કપ્તાને છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી નેટસ પર રૂટીન વિકેટકિપિંગ અભ્યાસ નથી કર્યો. તેમ છતા તેમણે મેચના દિવસે દસ કેચનો અભ્યાસ કરીને વિકેટ પાછળ પોતાનુ શાનદાર પ્રદર્શન કાયમ રાખ્યુ છે.
આને તમે માહીની સ્ટાઈલ કહી શકો છો. પણ ભારતીય ટીમના અભ્યાસ સત્ર પર નિકટથી નજર રાખનારા જાણે છે કે તેમણે નેટ્સ પર ધોનીને વિકેટકીપિંગ પૈડ પહેરેલ કદાચ જ જોયા હોય. તેઓ ક્યારેક વિકેટકીપિંગના મોજા પહેરી લે છે પણ પેડ નહી. તેઓ ક્ષેત્રરક્ષણ સાથે સંબંધિત બધા અભ્યાસ કરે છે. કેચ લેવાનો અભ્યાસ કરે છે. બેટિંગ કરે છે અને ક્યારેક ક્યારેક બોલિંગમાં પણ હાથ અજમાવી જુએ છે પણ વિકેટકીપિંગ નથી કરતા.