ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગુરૂવરે વર્લ્ડ કપ 2015ની બીજી ક્વાર્ટર ફાઈનલ મેચ રમાશે. બાંગ્લાદેશની ટીમ પહેલીવાર વિશ્વકપના નોક આઉટ રાઉંડમાં પહોંચી છે. આમ તો ભારતનુ પલડું ભારે છે પણ વર્લ્ડ કપમાં બંને ટીમો બરાબર છે. 2007માં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો અને તે ટૂર્નામેંટમાંથી બહાર થઈ ગઈ. બીજી બાજુ 2011ના ઉદ્દઘાટન મેચમાં ભારતને જીત મળી હતી. આવો બંને ટીમોના આંકડા પર નજર નાખીએ..
શિખર ધવન - બે સદીની મદદથી છ મેચોમાં 337 રન બનાવી ચુક્યા છે. એકવાર ફરી મોટો દાવ રમવાની આશા હશે કારણ કે જ્યારે પણ ધવન સદી લગાવે છે ભારત જીતે છે.
મોહમ્મદ શમી - પાચ મેચમાં 15 વિકેટ લઈને હરીફાઈના બીજા સૌથી સફળ બોલર છે. બધી ટીમો વિરુદ્ધ વિકેટ લીધી છે અને શરૂઆતમાં જ સફળતા અપાવી છે.
શુ કરી શકે છે
ટીમ ઈંડિયા આ ટૂર્નામેંટમાં અત્યાર સુધી ચાર વાર લક્ષ્યનો પીછો કરતા જીતી છે. જ્યારે કે બે મજબૂત ટીમો વિરુદ્ધ પહેલા રમતા મોટી જીત મેળવી છે. ટોસ જીતવા પર પહેલા બોલિંગ કરવી પસંદ કરી શકે છે.
મહમૂદુલ્લાહ - સતત બે સદી લગાવીને સૌથી વધુ રન બનાવવા બાબતે પાંચમા સ્થાન પર છે. આ હરીફાઈમાં અત્યાર સુધી 344 રન બનાવી ચુક્યા છે.
સાકિબ અલ હસન - આ સ્ટાર ઓલરાઉંડરે ટીમના શાનદાર પ્રદર્શનમાં બોલ અને બેટ બંને દ્વારા યોગદાન આપ્યુ છે. ટીમ તરફથી આ ટૂર્નામેંટમા સૌથી વદ્ઝુ સાત વિકેટ મેળવી છે.
શુ કરી શકે છે -
ટીમે પહેલા રમતા સારુ પ્રદર્શન કર્યુ છે અને ત્રણમાંથી બે મેચ જીત્યા છે. સ્પિન બોલિંગ તેમની તાકત છે અને જેને કારણે તેઓ ટોસ જીતતા પહેલા બેટિંગ પસંદ કરી શકે છે.