World Cup - ભારતની હાર-જીત પર દાવ પર લાગી આ ક્રિકેટર્સના ઘરની ખુશીઓ

ગુરુવાર, 19 માર્ચ 2015 (15:28 IST)
વિશ્વ કપમાં જીતનો છક્કો લગાવ્યા પછી ટીમ ઈંડિયાના ખેલાડીઓએ બધાના દિલ સ્પર્શી લીધા છે. બધા ભારતીય દર્શક ટીમ પાસે આશા લગાવી બેસ્યા છેકે ભારત ફરીથી વિશ્વ કપ જીતશે. અત્યાર સુધી ટીમ ઈંડિયાએ વિશ્વ કપમાં જેવુ પ્રદર્શન કર્યુ છે તે ખૂબ જ પ્રશંસનીય છે. ભારતના બધા સ્ટાર બેટ્સમેન આ સમયે જોરદાર ફોર્મમાં છે. આ કારણે અપેક્ષા કરવામાં આવી રહી છે કે ભારત ફરી વિશ્વ ચેમ્પિયન બનશે. 
 
કેમ ઈંડિયાએ જીતવુ જોઈએ જાણો તેનુ રહસ્ય 
 
ભારત ટીમ માટે આ વિશ્વ કપ ખૂબ જ મહત્વપુર્ણ રહેવાનો છે. એવુ એટલા માટે કારણ કે વિશ્વ કપની ખુશીઓ તેમના વ્યક્તિગત જીવનમાં ખુશીયો ભરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ટીમ ઈંડિયાના સ્ટાર ખેલાડી પોતાની ગર્લફ્રેંડ સાથે લગ્નને લઈને ખૂબ ચર્ચામાં રહી ચુક્યા છે. આ કારણે વિશ્વ કપ જીતવુ ખૂબ જ જરૂરી છે. 
 
જીતે તો હીરો, નહી તો જીરો 
 
સુરેશ રૈના - વિશ્વ કપ સુરેશ રૈના માટે ખૂબ મહત્વપુર્ણ રહેવાનો છે. કારણ કે વિશ્વ કપના આવતા જ ત્રણ એપ્રિલને સુરેશ રૈનાના લગ્ન છે. આવામાં જો ભારત જીતી જાય છે તો સુરેશ રૈનાના લગ્નની ખુશીમાં ચાર ચાંદ લાગી જશે.  આ ઉપરાંત બધા ખેલાડી રૈનાના લગ્નમાં ડાંસ કરતા જોવા મળશે. 
 
હાર્યા તો.. જો ભારત વિશ્વ કપ હારી જાય છે તો સુરેશ રૈનાના લગ્નમાં ખેલાડી મોઢુ છુપાવતા જોવા મળશે. બીજી બાજુ દેશમાં અત્યાર સુધીના હીરો થોડી જ ક્ષણમાં જીરો બની જશે. તેથી રૈના વિશ્વ કપ જીતાડવામાં પુરી મહેનત કરશે. 
 
મહેન્દ્ર સિંહ ધોની - ભારતીય ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી પોતાની પુત્રી સાથે ધોની માટે ક્ષણ ક્ષણની રાહ જોઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વિશ્વ કપ દરમિયાન ઘોનીના ઘરે નાનકડી પરી આવી હતી. અત્યાર સુધી ધોની પોતાની પુત્રી જિબાને પણ નથી મળી શક્યો. જો ધોની વિશ્વ કપ જીતી લાવે છે તો તેનુ પુત્રી મિલન એક મોટા સમારંભમાં બદલાઈ શકે છે. બધા ખેલાડીઓ સહિત અન્ય લોકો અને સંબંધીઓ ધોનીની પુત્રીની ખુશીમાં સામેલ થઈ શકે છે. તેથી ધોની માટે વિશ્વ કપ જીતવો ખૂબ જ જરૂરી છે. 
 
હાર્યા તો.. જો ભારત વિશ્વ કપમાં હારે છે તો ધોની કયો ચેહરો લઈને આતુરતાથી રાહ જોઈ રહેલ મિસ ધોની પાસે જશે..
 
વિરાટ કોહલી અને અનુષ્કા - અનુષ્કા તાજેતરમાં જ પીકે ફિલ્મ અને એનએચ10 માં ધમાલ મચાવી ચુકી છે. કોહલી પણ તેમની તાજેતરમાં રજુ થયેલ ફિલ્મના દિવાના બની ગયા છે. જો ભારત જીતે છે તો બની શકે કે આનો ઉત્સાહ અનુષ્કા અને કોહલીના લગ્નમાં બદલાય જાય. રવિવારે જ કોહલીએ ટ્વીટ પર માય લવ અનુષ્કા લખ્યુ હતુ. 
 
હાર્યા તો.. જો ભારત હાર્યુ તો અનુષ્કા અને કોહલીના લગ્નને વધુ સમય લાગી શકે છે.  તાજેતરમાં અનુષ્કાએ પોતાના ઈંટરવ્યુમાં કોહલી સાથે પ્રેમનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. 

હરભજન સિંહ - વિશ્વ કપમાં સિલેક્ટ ન થવાથી નારાજ ભજ્જી જો ભારત હારી જશે તો તેમના પર શુ વીતશે. છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર આવી રહ્યા છે કે ભજ્જી પોતાના લગ્ન માટે વિશ્વ કપ ખતમ થવાની રાહ જોઈ રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે ભજ્જી પોતાના લગ્ન ગર્લફ્રેંડ ગીતા બસરા સાથે કરશે. 
 
હાર્યા તો.. જો ભારત હાર્યુ તો ભજ્જીના લગ્નનો રંગ ઝાંખો પડી શકે છે. આ સાથે જ ધોની, રોહિત, શિખર ધવન વગેરેના ડાંસ જોવાની તક નહી મળે.  
 

વેબદુનિયા પર વાંચો