કહેવાય છે કે આપણા ડેટ ઑફ બર્થ પરથી પણ કોઈ પણ માણસના નેચર અને પર્સનાલિટી જાણ થઈ જાય છે. આવો જાણીએ આવી જ કેટલીક વાતો, જેના પરથી તમને જાણ થઈ શકે છે કે કોણુંં લવ મેરેજ થશે અને કોણું અરેંજ મેરેજ .
મૂલાંક 1
અંક 1 સૂર્યનો ગણાય છે, જેને કારણે 1 મૂલાંક વાળા લોકો શર્મીલા સ્વભાવના હોય છે. ક્યારે પણ પ્રેમમાં પહલ નથી કરતા. આ કારણે પ્રેમ વિવાહ કે લવ મેરેજ પણ નથી કરી શકતા. શરમ મૂકીને પ્રેમનો એકરાર કરો.
મૂલાંક 2
અંક 2 ચંદ્ર્માનો ગણાય છે,આથી 2 મૂલાંક વાળા લોકો ખૂબ ધીરે ધીરે પ્રેમ તરફ વધે છે. અને જો તે એક વાર પ્રેમને લઈને ગંભીર થઈ ગયા તો લવ મેરેજ કરીને જ માને છે.
મૂલાંક 3
મૂલાંક 3 ગુરૂનો ગણાય છે. એ લવ મેરેજમાં મોટાભાગે સફળ રહે છે. જો એને કોઈનો સહયોગ મળી જાય તો એ પ્રેમને મંઝીલ સુધી લઈ જાય છે. એમનું લગ્ન જીવન સફળ રહે છે.
મૂલાંક 4
અંક 4 રાહુનો ગણાય છે જે એક કરતા વધુ લોકો સાથે પ્રેમ કરે છે. આથી આ લોકો ક્યારેય પણ પ્રેમ લગ્ન પ્રત્યે ગંભીર નહી રહેતા. જો તેઓ પોતાના સ્વભાવને બદલે તો તે એક સારા પ્રેમી બની શકે છે.
મૂલાંક 5
5 અંક બુધનો ગણાય છે. આ લોકો પારંપરિક સંબંધો નિભાવવા પરિવારની મરજીથી જ લગ્ન કરે છે. એમની કુંડળીમાં સફળ લગ્ન જીવન અને લવ મેરેજના પ્રબળ યોગ રહે છે. ઈચ્છા હોય તો કરશે નહી તો શાંત રહેવું પસંદ કરશે.
મૂલાંક 6
6 નો અંક શુક્રનો લવ મેરેજ માટે જ બન્યો છે. મૂલાંક 6 વાળા એક કરતા વધારે સાથે પ્રેમ સંબંધોમાં રહે છે. આથી ક્યારેક-ક્યારેક તેઓ સાચા પ્રેમીની ગુમાવી બેસે છે. એમનું 80 ટકા લવ મેરેજ જ થાય છે.
મૂલાંક 7
7નો અંક કેતુનો ગણાય છે. આ લોકો સંકુચિત સ્વભાવના અને કામથી કામ રાખતા હોય છે. એ લવ મેરેજ કરવા ઈચ્છે છે પણ એમના સ્ટેટસ મુજબ. પ્રેમમાં પણ નફા-ખોટનું ગણિત એમને નુકશાન પહોચાડે છે.
મૂલાંક 8
8 નું અંક શનિનો હોય છે. આવા લોકોને ખૂબ ઓછા પ્રેમ સંબંધ રહે છે. પણ જો કોઈથી પ્રેમ કરી લો તો પછી મરતા સુધી પ્રેમને નિભાવે છે. પ્રેમને મેળવવામાં એમની મિશાલ છે.
મૂલાંક 9
9 નો અંક મંગળનો ગણાય છે. મંગળ પ્રધાન માણસ કોઈ પણ રીતે વિવાદ નહી માંગે. પ્રેમમાં વિવાદ તો હોય જ છે આથી એ લોકો પ્રેમના પ્રત્યે ઉદાસીન રહે છે. દિલમાં ઈચ્છા તો બહુ થાય છે પણ એ બહુ ગભરાય છે. તેમના લવ મેરેજ થોડા મુશ્કેલ છે.