એશ્વર્ય અને સમૃદ્ધિ વધારે છે શ્રી યંત્ર

સોમવાર, 19 ડિસેમ્બર 2016 (13:02 IST)
શ્રી યંત્ર મુખ્ય રૂપથી એશ્વર્ય અને સમૃદ્ધિ પ્રદાન કરનારી મહાવિદ્યા ત્રિપુરસુંદરી મહાલક્ષ્મીનુ સિદ્ધ યંત્ર છે. આ યંત્ર યોગ્ય અર્થોમાં યંત્રરાજ છે.  આ યંત્રને સ્થાપિત કરવાનુ તાત્પર્ય શ્રી ને પોતાન સંપૂર્ણ એશ્વર્ય સાથે આમંત્રિત કરવાનુ હોય છે. 
 
- શ્રી યંત્રની સ્થાપના માત્રથી ભગવતી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. કાર્યસ્થળ પર તેનુ નિત્ય પૂજન કરવાથી વેપાર વધે છે. 
- ઘરે તેની નિત્ય પૂજા કરવાથી સંપૂર્ણ દાંપત્ય સુખ પ્રાપ્ત થાય છે. 
- શ્રી યંત્ર પર ધ્યાન લગાવવાથી માનસિક ક્ષમતામાં વૃદ્ધિ થાય છે. આ વિવિધ વાસ્તુદોષોના નિરાકરણ માટે શ્રેષ્ઠ ઉપાય છે. આ સહસ્ત્રારચક્રના ભેદનમાં સહાયક માનવામાં આવ્યુ છે. 

વેબદુનિયા પર વાંચો