આખો દિવસ ભાગદોડ કર્યા પછી માનસિક શાંતિની જરૂર અનુભવાય છે. ઘરમાં જો એક નાનકડું મંદિર હોય તો તમે ક્યારેય પણ તમારા મનને શાંત કરવા માટે બેસીને ધ્યાન-પૂજા કરી શકો છો. વાસ્તુ મુજબ બનાવેલ પૂજા ઘર, આખો દિવસ તણાવ અને ચિંતાને થોડાક જ સમયમાં શાંત કરી શકો છો અને આપણી અંદર નવી ઉર્જા પણ ભરી નાખે છે. તેથી પૂજા ઘર બનાવતી વખતે વાસ્તુ મુજબ કેટલીક વાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે.