ઘરમાં તિજોરી નું ખાસ મહત્વ હોય છે. દરેક માણસ ઈચ્છે છે કે એમના ઘર પૈસાથી ભરેલા રહે. વાસ્તુ મુજબ જો તિજોરી કે લૉકર રૂમની દિશા, રંગ, સાઈજ અને સ્થાન યોગ્ય દિશામાં હોય તો ઘરમાં ધનનો પ્રવાહ તેજ રહેશે. આવું કરવાથી ભગવાન કુબેર હમેશા ખુશ રહે છે. આ સિવાય આ વાતનું પણ ધ્યાન રાખો કે તિજોરી કે લૉકર રૂમ પૂરી રીતે સુરક્ષિત હોય.