દ્વાદશ નામ: ગણપતિના દ્વાદશ નામનું જે વ્યક્તિ વહેલી સવારે સ્મરણ કરે છે. તેને વિઘ્ન અને અવરોધોનો સામનો કરવો પડતો નથી. . આ નામ છે - ગણપતિ ,વિઘ્નરાજ, લમ્બતુંડ, ગજાનન, દ્વૈમાતુર, હૈરબ, એકદંત, ગણાધિપ ,વિનાયક,ચારુકર્ણ, પશુપાલ અને ભવાત્મજ.
મૂર્તિ : ગૃહસ્થોને ઘરમાં બે શિવલિંગ, ત્રણ ગણેશજીની મૂર્તિ, બે શંખ, બે સૂર્ય પ્રતિમા, બે શાલિગ્રામ, ત્રણ દુર્ગાની મૂર્તિનું પૂજન નહી કરવુ જોઈએ. ઘરમાં ગણેશજીની મૂર્તિ એકથી વધારે હોય તો કંઈ વાંધો નહી પણ પૂજા એક જ ગણેશજીની થવી જોઈએ.
ગણપતિજીના આઠ અવતાર- ગણેશ ભગવાનના અસંખ્ય અવતાર છે. પણ તેમાંથી આઠ પ્રમુખ છે. વક્રતુંડ ,એકદંત ,મહોદર,ગજાનન ,લમ્બોદર,વિકટ,નિરાજ અને ધૂમ્રવર્ણ .