મોર પંખ ઘણા દેવતાઓનુ પ્રિય આભૂષણ છે. જેવા કે ભગવાન શ્રીકૃષ્ણ, શ્રી ગણેશ અને કાર્તિકેય જી. વિદ્યાની દેવી સરસ્વતી માતાનુ વાહન હોવાને કારણે વિદ્યાર્થી વર્ગમાં પોતાના પુસ્તકોની અંદર મોર પંખ રાખવાની પ્રથા છે. મોર ભગવાન કાર્તિકેયનુ પણ વાહન છે. કાર્તિકેય દેવતાઓની સેનાના સેનાપતિ છે. પણ તેમણે ખુદના વાહનના રૂપમાં મોરને પસંદ કર્યા છે.
દેવ વાહિની તંત્રમાં મોરના પાંખોની વિગત આપવામાં આવી છે. સમસ્ત શાસ્ત્રો, ગ્રંથો, વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં મોરના પંખને મહત્વપુર્ણ સ્થાન પ્રાપ્ત છે. ઘરમાં મોર પંખ એવા સ્થાન પર લગાવો જ્યાથી તે સહેલાઈથી દેખાતુ રહે. મોરના પંખ ઘરમાં રાખવાનુ ઘણુ મહત્વ છે તેના ધાર્મિક પ્રયોગ પણ છે.