હિંદૂ ધર્મમાં સિંદૂર પરિણીત હોવાની નિશાની છે અને પરિણીત મહિલાઓ એમના પતિની લાંબી વય માટે માંગમાં ભરે છે. માન્યતા છે કે દેવી પાર્વતીએ એમના પતિના માન માટે પોતાના પ્રાણ ત્યાગ કર્યા હતા. આથી સિંદૂરને દેવી પાર્વતીનું પ્રતીક ગણી સુહાગન સ્ત્રી પોતાના માથા પર સજાવે છે અને સદા સુહાગન રહેવાનુ વરદાન દેવી પાસે માંગે છે.