બજેટ પહેલા PM મોદીએ આપ્યો સંકેત, આજે નાણામંત્રી કરશે આ જાહેરાતો?

મંગળવાર, 31 જાન્યુઆરી 2023 (22:35 IST)
આજે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ 2023નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. બજેટને લઈને દરેકને ઘણી અપેક્ષાઓ હોય છે. બજેટમાં તમારા માટે શું હશે, તે તો બુધવારે સવારે 11 વાગે સંસદમાં જ ખબર પડી જશે, પરંતુ    સંસદના બજેટ સત્ર પહેલા પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં એક ઈશારો કરતા બજેટની દિશા જરૂર બતાવી દીધી.   આવો જાણીએ ​​વડાપ્રધાને તેમના સંબોધનમાં શું કહ્યું અને તેમાં તમારી માટે કઈ વાતો છુપાયેલ છે.
 
વિશ્વને ભારત પાસેથી છે અપેક્ષાઓ 
પીએમ મોદીએ આજે ​​સંસદ ભવનમાંથી પોતાના સંબોધનમાં કહ્યું કે હાલમાં વિશ્વની અર્થવ્યવસ્થાઓ તોફાનનો સામનો કરી રહી છે. આ મુશ્કેલ સમયમાં પણ તે સમગ્ર વિશ્વ માટે આશાનું કેન્દ્ર બનેલું છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે તેમની સરકાર ઈન્ડિયા ફર્સ્ટ, સિટીઝન ફર્સ્ટની ભાવના સાથે કામ કરે છે. તેમણે કહ્યું કે આ ભાવનાને આગળ લઈ જઈને બજેટ પણ રજુ કરવામાં આવશે.
 
બજેટ સામાન્ય લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરશે
પીએમ મોદીએ કહ્યું કે આજથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે.અને જેનાં પડધા ઓળખાય છે, એવો અવાજ આશાનો સંદેશ લઈને આવી રહ્યો છે. તે ઉત્સાહની શરૂઆત લાવી રહ્યું  છે. આજે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. તેમણે કહ્યું કે તેઓ આશા રાખે છે કે ભારતનું બજેટ, સામાન્ય લોકોની આશાઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે  અને દુનિયામાં ભારત ચમકશે, જે ભારત તરફ આશાના કિરણ તરીકે જોઈ રહ્યું છે.
 
બજેટ લોકશાહી હોઈ શકે છે
 
વડાપ્રધાનના શબ્દો પરથી લાગે છે કે ચૂંટણી પહેલાના આ છેલ્લા બજેટમાં સરકાર લોકકલ્યાણની યોજનાઓ માટે સરકારી તિજોરી ખોલી શકે છે. આ સિવાય મોંઘવારી ઘટાડવા અને બચત અને કમાણી વધારવા સંબંધિત જાહેરાતો પણ થઈ શકે છે. સામાન્ય લોકો પણ બજેટમાં ટેક્સ મુક્તિ વધારવાની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 2014થી ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે સામાન્ય લોકો છેલ્લા 2 બજેટથી પણ સ્લેબમાં ફેરફારની અપેક્ષા રાખતા હતા, પરંતુ આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર