જેવા મંત્રોથી યુક્ત વિધ્નહર્તા ભગવાન ગણપતિની મૂર્તિ એ ઘરમાં સ્થાપિત કરવી જોઈએ, જેના ઘરમાં હંમેશા આર્થિક મુશ્કેલી, કંકાસ, વિધ્ન, અશાંતિ, ક્લેશ, તણાવ, માનસિક સંતાપ વગેરે દુર્ગુણનો વાસ હોય છે. તેમણે પણ આ મંત્રોનો જાપ કરવો જોઈએ.
જો ખરીદેલુ નવુ મકાન તમારા માટે ફળદાયી નથી - જે નવા ઘરમાં પ્રવેશ કર્યા પછી પતિ-પત્નીમાં તણાવ, બાળકોમાં અશાંતિનો દોષ જોવા મળે છે, તો આવા ઘરમાં શ્રીગણેશની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. આવુ કરવાથી શીઘ્ર ચમત્કાર થશે અને તમારું નવુ ઘર અનેક ખુશીઓ લઈને આવશે.
સાથે જ ધનદાયક ગણપતિની મૂર્તિની સાથે શ્રીપતયે નમ:, રત્નસિંહાસનાય નમ:, મમિકુંડલમડિતાય નમ:, મહાલક્ષ્મી પ્રિયતમાય નમ:, સિદ્ધ લક્ષ્મી મનોરપ્રાય નમ: લક્ષધીશ પ્રિયાય નમ:, કોટિઘીશ્વરાય નમ: જેવા મંત્રોનો ઉચ્ચાર થાય છે. આવા મંત્રોનો જાપ કરીને તમે સંપત્તિવાન બનશો અને સાથે સાથે તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે.