આ 7 ઉપાયો તમારી કિસ્મત ચમકાવી શકે છે

શનિવાર, 30 એપ્રિલ 2016 (17:09 IST)
કિસ્મત મહેનત કરનારાઓની સાથે હંમેશા રહે છે. પણ જો તમારી આસપાસ સકારાત્મક વાતાવરણ છે તો કિસ્મત જલ્દી ચમકી શકે છે.   આમ તો બ્રહ્માંડમાં અનેક ઉર્જા વિદ્યમાન છે. પણ સકારાત્મક ઉર્જા તમારા લક્ષ્યને મેળવવામાં  ઘણી હદ સુધી મદદ કરે છે. 
 
કોશિશ એ હોવી જોઈએ કે આપણા ઘર ઓફિસ અને આ ઉપરાંત એ બધા સ્થાન જ્યા તમે જાવ છો ત્યા સકારાત્મક વાતાવરણ હોય.  પણ સકારાત્મક ઉર્જા ત્યા નથી તો આપણે કેટલાક ઉપાય અજમાવીને તેને ત્યા કેન્દ્રિત કરી શકીએ છીએ. 
 
તમારા ઘરની આજુબાજુ સ્વચ્છતાનુ વિશેષ ધ્યાન રાખો 
ઘર હોય કે ઓફિસ પ્રવેશ દ્વાર સામે ફૂલોની સુંદર તસ્વીર લગાવો 
પરસ્પર સહયોગની ભાવના રાખો. જો તમે આવુ કરો છો તો ઘરમાં સકારાત્મક ઉર્જા કાયમ બની રહેશે. 
ઘરમાં તુલસીનો છોડ લગાવો. આ નકારાત્મક શક્તિને દૂર કરે છે. 
ઘર કેટલુ પણ જૂનુ હોય પણ સમય સમય પર તેની રિપેરિંગ અને કલર કરાવતા રહો.  

વેબદુનિયા પર વાંચો