Money Totke - પૈસાની તંગી દૂર કરવા અપનાવો આ અચૂક ઉપાયો

દરેકની ઈચ્છા હોય છે કે તેમના પર લક્ષ્મીની કાયમ કૃપા રહે. તેમની પાસે જે લક્ષ્મી આવે તે તેમને છોડીને ક્યારેન ન જાય અને ઘર હંમેશા ધન ધાન્યથી ભરપૂર રહે. જો તમે પણ ઈચ્છતા હોય કે તમારા ઘરમાં લક્ષ્મી સદૈવ પ્રસન્ન રહે તો કેટલાક અચૂક ઉપાયો અપનાવીને તમારી આ ઈચ્છા પૂરી કરી શકો છો.

ઉપાય :

- દરેક પૂનમના દિવસે સવારે શુદ્ધ થઈને પીપળના વૃક્ષને જળ ચઢાવો

- પ્રત્યે ગુરૂવારે તુલસીના છોડમાં થોડું દૂધ નાખેલુ પાણી ચઢાવો

- જો તમને વડના ઝાડ નીચે કોઈ નાનકડો છોડ ઉગેલો દેખાય તો તેને ઉખાડીને તમારા ઘરમાં લગાવો.

- ઉમરડાની(ગૂલર)ની જડને કપડામાં બાંધીને તેને તાવીજમાં નાખીને હાથ બાજુ પર બાંધી દો.

- પીપળના વૃક્ષની છાયામાં ઉભા રહીને લોખંડના પાત્રમાં પાણી લઈને તેમા દૂધ ભેળવી તેને પીપળની જડમાં નાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે અને ઘરમાં લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય છે.

વેબદુનિયા પર વાંચો