જો તમારી પાસે કુંડળી નથી અને જન્મકુંડળીના અભાવમાં તમારી સમસ્યાનો ઉપાય નથી મળી રહ્યો તો રૂદ્રાવતાર ભૈરવ બાબાને યાદ કરો. કોઈપણ રવિવારે શરૂ કરીને "ઓમ કાલભૈરવાય નમ:" મંત્રની રોજ પવિત્ર મનથી ઓછામાં ઓછી એક માળા નિયમિત રૂપે કરો. ટૂંક સમયમાં જ તમારી સમસ્યાને ઉકેલવાનો માર્ગ મળી જશે. આ ઉપરાંત પ્રતિકૂળ ગ્રહ પણ તમારા પક્ષમાં થઈ જશે.
જ્યોતિષ મુજબ શનિની દશા કે સાઢાસાતી લાગતા મનુષ્યનુ જીવન મુશ્કેલીઓથી ભરી જાય છે. જો તમારા પર પણ શનિની કુદ્રષ્ટિ છે તો આ ઉપાયોને અજમાવો. શનિની અશુભ સ્થિતિમાં શનિવારે ભૂરા રંગના કપડા ન પહેરશો. શનિને પ્રસન્ન કરવા માટે હનુમાનજીને તલનું તેલ, સિંદૂર, અડદ અને આંકડા કે ધતૂરાની માળા ચઢાવો.