માન્યતાઓ મુજબ દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ 4 મહિના માટે આરામ કરવા માટે ક્ષીર સાગર જતા રહે છે. તેથી આ 4 મહિના દરમિયાન શુભ કાર્ય જેવા કે વિવાહ, ઉપનયન સંસ્કાર, ગૃહપ્રવેશ જેવા માંગલિક કાર્ય થંભી જાય છે. 5 મહિન દરમિયાન શુભ કાર્ય જેવા કે લગ્ન, ઉપનયન સંસ્કાર, ગૃહપ્રવેશ જેવા માંગલિક કાર્ય થંભી જાય છે. 5 મહિના પછી મતલબ દેવઉઠની અગિયારસ પર ભગવાન વિષ્ણુ નિદ્રા ત્યજીને ફરીથી સુષ્ટિનું સંચાલન પોતાના હાથમાં લઈ લે છે.
બીજો મહિના ભાદરવાનો હોય છે અને આ મહિનાના સ્વામી પ્રભુ શ્રીકૃષ્ણ છે. ભાદરવાની કૃષ્ણ પક્ષ અષ્ટમીમાં જ કૃષ્ણનો જન્મ થયો છે આ મહિને શ્રદ્ધાલુ શ્રીકૃષ્ણની પૂજા અર્ચના કરે છે. ત્રીજો મહિનો અશ્વિન છે. આ મહિનાના કૃષ્ણ પક્ષમાં પિતરોની પૂજા કરવામાં આવે છે અને શુક્લ પક્ષમાં શારદીય નવરાત્રી હોય છે. તેમા શ્રદ્ધાળુ મા દુર્ગાની પૂજા કરે છે.
ચોથો મહિનો કારતકનો છે અને તેમા શાલીગ્રામ અને તુલસી વિવાહ થાય છે. જેને શ્રદ્ધાળુ ધૂમધામાથી ઉજવે છે અને સમગ્ર મહિનામાં શ્રીહરિની પૂજા કરવામાં આવે છે. આ મહિને દિવાળી પર મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ચતુર્માસનો મહિનો આરોગ્યના હિસાબથી ખૂબ મહત્વપૂર્ણ હોય છે. આ દિવસોમાં તેલ દહી સાથે ચોખા ગોળ મૂળા અને રિંગણનુ સેવન ન કરવુ જોઈએ.