જન ગન મન અધિનાયક...

વેબ દુનિયા

શુક્રવાર, 23 જાન્યુઆરી 2009 (11:51 IST)
નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્‍દ્રનાથ ટાગોર રચિત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવવામાં આવ્યું છે. આ ગીત પ્રથમ વાર ડિસેમ્‍બર 28, 1911 ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયું હતું. અધીકૃત રીતે રાષ્ટ્રગીતને 52 (બાવન) સેકંડમાં ગાવામાં આવે છે.

જન ગણ મન અધિનાયક જય હે,
ભારત ભાગ્‍યવિધાતા
પંજાબ સિન્‍ધુ ગુજરાત મરાઠા
દ્રાવિડ ઉત્‍કલ બંગ
વિંધ્‍ય હિમાચલ યમુના ગંગા
ઉચ્‍છલ જલધિ તરંગ
તવ શુભ નામે જાગે તવ શુભ
આશીષ માંગે
ગાહે તવ જયગાથા
જન ગણ મંગલદાયક જય હે ભારત
ભાગ્‍યવિધાતા
જય હે જય હે જય હે જય જય જય
જય હે !

વેબદુનિયા પર વાંચો