સૂરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદી, આત્મહત્યા કરી રહ્યા છે કર્મચારી હજારો બેરોજગાર

બુધવાર, 24 જુલાઈ 2019 (16:07 IST)
સૂરતના ડાયમંડ ઉદ્યોગ પાછલા ઘણા મહીનાથી જોરદાર મંદીમાં ગુજરી રહ્યું છે. આ મંદીનો અસર ડાયમંડ ઉદ્યોગપતિના ધંધા પર થયું છે. જેનો ભુગતાન ડાયમંડ ફેક્ટીઓમાં કામ કરનાર કર્મચારીઓને ભુગતવો પડી રહ્યુ છે. મંદીની માર ઝીલી રહ્યા કર્મચારી આત્મહત્યા કરવા લાચાર છે. માત્ર 20 દિવસમાં જ ચાર કર્મચારીઓએ આત્મહત્યા કરી. 
 
જણાવીએ કે દુનિયાભરમાં તૈયાર થતા 15માંથી 14 ડાયમંડ ગુજરાતના સૂરત શહરમાં જ એસૉર્ટ કરાય છે સુરત શહરના વરાછા, કાપોદ્રા, કતારગામ અને મહીધરપુરા ક્ષેત્રમાં વધારેપણુ ડાયમંડ ફેક્ટ્રી અને ઑફિસ છે. ડાયમંડ ઉદ્યોગ પાછલા ઘણા મહીનાથી મંદીમાં ચાલી રહ્યું છે પરિણામ અહીં નોકરી ન મળવાના જારણે ઘણા ડાયમંડ કર્મચારી આત્મહત્યા કરવા લાચાર છે. તેની સાથે હજારોની સંખ્યામાં કર્મચારી બેરોજગાર થઈ ગયા છે. 
 
ડાયમંડ ઉદ્યોગમાં છવાઈ મંદીના કારણે 20 દિવસમાં 4 ડાયમંડ વર્કર આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરનાર કર્મચારીમાં એક સૂરત શહરના કતારનામ ક્ષેત્રમાં રહેતા ગૌરવ ગજ્જર હતા, જેણે તેમની બિલ્ડિંગની પાંચમી માળાથી કૂદીને જીવ ત્યાગી લીધું. ગૌરવ ગજ્જર પાછલા ત્રણ મહીનાથી બેરોજગાર હતા. તે દરરોજ ઘરથી ડાયમંડ ફેક્ટ્રીમાં કામ શોધવા જતો હતો પણ નિરાશ પરત આવતો. 
આત્મહ્ત્યા કરનાર ગૌરવ જગ્ગરની કમાનીથી પરિવારનો ગુજરાન થતું હતું. ગૌરવના પરિવાર, નાના બાળક સિવાય વૃદ્ધ માતા-પિતા છે. ગૌરવના પિતા નવીન ચંદ્રનો કહેવું છે કે તેમનો દીકરો પાછલા ત્રણ મહીનાથી મંદીને લઈને ડિપ્રેશનમાં હતું . તે બાળકોની શાળાની ફી પણ નથી આપી શકી રહ્યો હતો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર