PM Modi મોદી કરશે આજે સરદારધામ ભવનનુ ઉદ્દઘાટન, જાણો કેમ છે ચર્ચામાં

શનિવાર, 11 સપ્ટેમ્બર 2021 (11:34 IST)
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે સવારે 11 વાગે અમદાવાદના સરદારધામ  ભવનનુ ઉદ્દઘાટન કરશે.  અહી સારી નોકરીના ઈચ્છુક ક્ષેત્રોની યુવતીઓ અને યુવકોને હોસ્ટલની સુવિદ્યા આપવામાં આવશે. પાટીદાર સમાજ દ્વારા બનાવેલ આ કોમ્પ્લેક્સ આવા બધા વિદ્યાર્હીએ ઓછા ખર્ચ પર ટ્રેનિંગ અને રહેવાની સુવિદ્યા પ્રદાન કરશે.  પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ શુક્રવારે એક નિવેદન રજુ કરી જણાવ્યુ હતુ કે પીએમ મોદી વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા સવારે11 વાગે સરદારધામ ફેજ 11 અને કન્યા છાત્રાલય (ગર્લ્સ હોસ્ટલ)નુ  ભૂમિ કરશે. 
 
- સરદાર ધામમાં 450 વ્યક્તિઓની ક્ષમતાનું ઓડિટોરિયમ અને 1 હજાર-1 હજાર વ્યક્તિની ક્ષમતાના સાથેના બે હોલ પણ છે. સરદાર ભવનના બેઝમેન્ટમાં 450થી વધુ કારનું પાર્કિંગ, 50થી વધુ થ્રી-સ્ટાર રૂમ ધરાવતા ટ્રસ્ટી વિશ્રામ ગૃહની પણ વ્યવસ્થા છે. 
- મહેસૂલી માર્ગદર્શન, કાનુની માર્ગદર્શન, સમાજ સુરક્ષા વગેરે પ્રવૃત્તિ માટે 8થી વધુ કાર્યાલયો પણ કાર્યરત રહેશે. - સંકુલના પ્રવેશ દ્વારમાં સરદાર વલ્લભભાઇની 50 ફૂટ ઊંચી કાંસ્યની વિશાળ પ્રતિમા રૂપિયા 3 કરોડ 50 લાખના ખર્ચે ખર્ચે સ્થાપિત કરાશે. આમ, સરદારધામ એક સ્ટેટ ઓફ આર્ટ બિલ્ડિંગનું નિર્માણ થયું છે. 
- આ ભવનમાં 800 દીકરા અને 800 દીકરીઓ માટે અલગ છાત્રાલય અને 1 હજાર વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે ઈ લાયબ્રેરી,પુસ્તકાલય, વાંચનાલયની સુવિધા હશે.. 
 
આજે આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી પુરષોત્તમ રૂપાલા, કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ મંડળના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર