Passenger ferry service between Okha-Bet Dwarka suspended due to bad weather
યાત્રાધામ દ્વારકામાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે અચૂકપણે ભગવાન દ્વારકાધીશના રાણીવાસ એવા બેટ દ્વારકામાં દર્શન કરવા જતા હોય છે. બેટ દ્વારકા જવા માટે ઓખાથી બેટ દ્વારકા સુધી ફેરીબોટ સેવાનો સહારો લેવો પડતો હોય છે. પરંતુ આજે ભારે પવન હોવાથી પાણીમાં પણ કરંટ જોવા મળ્યો હતો. જેના લીધે ફેરીબોટ સેવાની સંચાલન કરતી ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા હાલ પૂરતો ફેરીબોટ સેવાને બંધ કરી દેવાઈ છે.