પારલે-જી આર્થિક ભીંસમાં, 10 હજાર લોકોની નોકરી પર ખતરો

ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (11:30 IST)
પારલે-જીના અધિકારીએ જણાવ્યું કે ધંધાની આર્થિંક વૃદ્ધિ મંદ પડતા અને ગ્રામીણ વિસ્તારમાં બિસ્કિટની માગ ઘટતા કંપનીમાંથી 10 હજાર કર્મચારીઓને છૂટા કરી શકે છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર પારલેના કૅટેગરી હેડ મયંક શાહે મુંબઈ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે બિસ્કિટના વેચાણમાં ઘટાડો થવાને કારણે આવા પગલાં લેવાની ફરજ પડે છે.
શાહે કહ્યું, "હાલની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. જો સરકાર તાત્કાલિક કોઈ પગલાં નહીં લે તો અમારે આ નિર્ણય લેવો પડશે."
ભારતમાં આર્થિક કારણસર ઑટો સેક્ટર, ટેક્સ્ટાઇલ સેક્ટર સહિત અન્ય ઘણાં ક્ષેત્રોમાં મંદીનો માહોલ છે. જેને કારણે કંપનીઓને કર્મચારીઓ છૂટા કરવાનો વારો આવે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર