ઓમિક્રૉન કોરોના વૅરિયન્ટનો ભારતમાં એક પણ કેસ નહીં : આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા

મંગળવાર, 30 નવેમ્બર 2021 (13:44 IST)
કોવિડ19ના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનનો એક પણ કેસ ભારતમાં નોંધાયો નથી. આ અંગે કેન્દ્ર સરકારના આરોગ્યમંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં વાત કરી હતી.
 
મંગળવારે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન આરોગ્યમંત્રીએ આ અંગે વાત કરી હતી.
 
કોરોના વાઇરસનો નવો વૅરિયન્ટ ઓમિક્રૉન દક્ષિણ આફ્રિકાના દેશોમાં સૌપ્રથમ જોવા મળ્યો હતો, જે અંગે વિશ્વ આરોગ્ય સંગઠને પણ ચિંતા પ્રગટ કરી છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર