ગુજરાત યુનિ.ના વીસીના ઘરની દીવાલો પર આપત્તિજનક લખાણોથી ખળભળાટ

બુધવાર, 26 ડિસેમ્બર 2018 (11:59 IST)
ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સરના ઘરની બહાર જ દિવાલો પર તેમની સામે આપત્તિજનક લખાણો લખવામાં આવતા વિવાદ સર્જાયો છે. વાઈસ ચાન્સેલરે એબીવીપીના અધિવેશનની થઈ રહેલી તૈયારીઓમાં  હાજરી આપી હતી.જેની સામે ગઈકાલે પણ એનએસયુઆઈએ વાંધો ઉઠાવ્યો હતો.એનએસયુઆઈના કાર્યકરોએ આ મુદ્દે વાઈસ ચાન્સેલરનો ખુલાસો માંગ્યો હતો.એનએસયુઆઈએ આંદોલનની ચીમકી પણ આપી હતી. એ પછી વીસીના ઘરની બહાર રાતોરાત આરએસએસના દલાલ કુલપતિ , આરએસએસની ઓફિસ જેવા લખાણો લખીને દીવાલો ખરડી નાંખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એબીવીપીનુ અધિવેશન 15 વર્ષ બાદ 27 થી 30 ડિસેમ્બર દરમિયાન રિવર ફ્રન્ટ ખાતે યોજાવાનુ છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર