Gujarat Live news - કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની કરશે સમીક્ષા

શનિવાર, 1 માર્ચ 2025 (12:21 IST)
તાજેતરમાં રાજકોટની શાંતિ હોસ્પિટલ સામે ગેરરીતિ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં PMJAYમાંથી હોસ્પિટલને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. આ ઘટનામાં શાંતિ હોસ્પિટલને 23.15 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હોસ્પિટલમાં તપાસ દરમિયાન હોમ પોર્ટલ ઉપર રજીસ્ટર્ડ થયેલા ડૉક્ટર ગેરહાજર હતા. આ ઉપરાંત GPCBનું સર્ટિફિકેટ રિન્યુ કરવા અરજી નહતી કરવામાં આવી.
 

03:10 PM, 1st Mar
 કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની કરશે સમીક્ષા 
Ashwini Vaishnaw
અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન શહેરની ઓળખ ધરાવતા એવા હેરિટેજ લુક સાથેનું રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે. શહેરીજનો અને અન્ય લોકોના સૂચનો આવ્યા હતા જેમાં અમદાવાદ હેરિટેજ શહેરની ઓળખ ધરાવે છે જેથી આ રેલવે સ્ટેશનના લૂકને હેરિટેજ બનાવવા માટે ડિઝાઇન બદલવામાં આવી છે.



12:24 PM, 1st Mar
ગુજરાતમાંથી આવ્યું  પ્રેમી યુગલ, ગુરુ શિખરના જંગલમાં જઈને કર્યુ મોટું કાંડ, જોઈને પોલીસ પણ ચોંકી ગઈ
સિરોહી.  પોતાના પ્રેમની સમાજે કબૂલાત ન કરવાને કારણે એક પ્રેમી જોડાએ એવુ ખતરનાક પગલુ ભર્યુ કે તેને જોઈને પોલીસની પણ રૂહ કાંપી ગઈ.  આ પ્રેમી જોડીએ ગુજરાતથી રાજસ્થાનના સિરોહી જીલ્લાના માઉંટ આબુ આવ્યુ. અહી આવ્યા બાદ સ્કુટીથી માઉંટ આબુ સ્થિત ગુરૂ શિખરના જંગલમાં ગયો. ત્યા આ પ્રેમી જોડીએ ઝેર ખાઈને પોતાનો જીવ આપી દીધો. બંને અચેત સ્થિતિમાં જંગલમાં પડેલા મળ્યા. પોલીસે તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કર્યા જ્યા સારવાર દરમિયાન બંનેનુ મોત થઈ ગયુ. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર