મુંબઇ અમદવાદ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ લાગી આગ, ચાલકનું મોત

મંગળવાર, 6 જુલાઈ 2021 (09:03 IST)
મુંબઇ-અમદાવાદ હાઇવે પર સોમવારે મોડી રાત્રે બે ટ્રકો વચ્ચે ભીષણ ટક્કરમાં ટ્રક ચાલકનું મોત થયું હતું. આ અકસ્માત વલસાડ જિલ્લાના પારડી પાસે થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બંને ટ્રકોમાં આગ લાગી ગઇ હતી. અકસ્માતની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ફાયર વિભાગના અધિકારી જણાવ્યું હતું કે અમને સૂચના મળી હતી કે એનએચ-48 પર એક દુર્ઘટના થઇ છે. અમે આગ પર કાબૂ મેળવવા માટે વધુ બે ટેંકર બોલાવ્યા હતા. એક ચાલકનું મોત થયું છે. કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં પણ મુંબઇ અમદાવાદ હાઇવે પર આવો જ એક અકસ્માત થયો હતો. તે સમયે પણ બે ટ્રકો વચ્ચે ટક્કર બાદ આગ લાગી હતી. જોકે આ અકસ્માતમાં કોઇ હતાહતની સૂચનાની મળી ન હતી. મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસને કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી અનુસાર આ અકસ્માત રાત્રે 3:30 વાગે થયો હતો.
 
અકસ્માત તે સમયે થયો હતો જ્યારે વસઇ તાલુકાના સકવર ગામમાં સામેથી આવી રહેલા ટ્રક આમને સામને પરસ્પર ટકરાઇ ગયા અને પછી આગ લાગી ગઇ. ઘટના બાદ સ્થાનિક ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને પોલીકસર્મીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા અને લગભગ અડધાસ્થળ પર પહોંચી ગયા અને લગભગ અડધા કલાકની મહેનત બાદ તેમણે આગ પર કાબૂ મેળવ્યો હ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર