UGC : કૉલેજોના અંતિમ વર્ષની પરીક્ષા સપ્ટેમ્બરના અંત સુધીમાં લઈ લેવા યુજીસીનો નિર્ણય

મંગળવાર, 7 જુલાઈ 2020 (11:07 IST)
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) કૉલેજોમાં અંતિમ વર્ષની પરીક્ષા રદ કરવાની ભલામણ નહીં કરે એમ સોમવારે સાંજે થયેલી બેઠકમાં નિર્ણય થયો છે.
 
ધ હિંદુ અખબારના અહેવાલ પ્રમાણે જે રાજ્યોએ પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય કર્યો છે એમને પરીક્ષાઓ લેવા માટે સૂચિત કરવામાં આવશે એમ UGC સભ્યએ જણાવ્યું.
 
બેઠકમાં નિર્ણય કરાયો કે અંતિમ વર્ષની પરીક્ષાઓ સપ્ટેમ્બરના અંત સુધી ભલે મોકૂફ રખાઈ હોય પરંતુ તે કાં તો ઑનલાઇન અથવા ઑફલાઇન કોઇ પણ રીતે લેવાવી તો જોઇએ જ. UGCના સત્તાવાર નિવેદન પ્રમાણે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે નહીં તેમને પછીની નક્કી કરાયેલી તારીખોએ પરીક્ષા આપવા માટે પણ ખાસ વ્યવસ્થા કરાશે. ગૃહ મંત્રાલયે પણ માનવ સંસાધન મંત્રાલયને લખેલા પત્રમાં પરીક્ષાઓ લેવા માટે મંજૂરી આપી દીધી છે અને નિર્દેશ આપ્યા છે કે UGCની ગાઇડલાઇન્સ પ્રમાણે અંતિમ વર્ષની પરીક્ષાઓ 'ફરજિયાતપણે લેવાવી' જ જોઈએ.
 
મહત્વનું છે કે સાતેક રાજ્યો કોવિડ-19ની મહામારીને કારણે પરીક્ષાઓ માકૂફ રાખવાનો નિર્ણય લઈ ચૂક્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર