બોટાદ લક્ઝરી બસે ST બસને લીધી અડફેટે, ડ્રાઇવરનું મોત, કંડક્ટર ગંભીર

રવિવાર, 25 ઑગસ્ટ 2019 (19:37 IST)
બોટાદના બરવાળાના રોજીદ પાસે એસટી બસ અને ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એસટી બસનાં ડ્રાઇવરનું મોત નીપજ્યું છે. એસટી બસનાં કન્ડેક્ટર અને અન્ય 1 મુસાફર ગંભીર ઘાયલ છે જ્યારે 6 મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી છે. જેમને ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
 
આ અકસ્માત અંગે ડેપો મેનેજર ચુડાસમાએ વિગતો આપતા જણાવ્યું કે, આજે સવારે 7.30 કલાકની આસપાસ રોઝિત તરફથી એક લક્ઝરી બસ આવી રહી હતી. જે ઘણી જ સ્પીડમાં હતી. તેણે બોટાદ- અમદાવાદ એસટી બસને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં એસટી બસનાં ચાલકનું મોત નીપજ્યું છે. જેમાં કંડેક્ટર અને એક મુસાફર ગંભીર રીતે ઘાયલ થયા હતાં. આ ઉપરાંત અન્ય 6 મુસાફરોને પણ નાની મોટી ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં રીફર કર્યાં છે.
 
ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં છે. અકસ્માતને કારણે રસ્તા પર ટ્રાફિક જામ પણ થયો હતો.
આ અકસ્માતમાં પોલીસે આવીને ગુનો નોંધીને તપાસ હાથ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર