દિલ્હીના ડે.CM મનીષ સિસોદિયા 6 દિવસ ઉત્તર ગુજરાતમાં યાત્રા યોજશે, આવતીકાલે સાબરમતી આશ્રમથી યાત્રા શરૂ થશે

મંગળવાર, 20 સપ્ટેમ્બર 2022 (15:49 IST)
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ હવે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર થી લઇ અને લોકો સુધી પહોંચી રહ્યાં છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા છ દિવસ માટે ગુજરાતબઆવી રહ્યા છે. મનીષ સિસોદિયા સાબરમતી ગાંધી આશ્રમથી ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની યાત્રાનો પ્રારંભ કરાવશે. બસ હવે પરિવર્તન જોઈએ ના થીમ પર 6 દિવસ સુધી આ યાત્રા યોજાશે.

આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ મજબૂત જણાઈ રહી છે પરંતુ ઉત્તર ગુજરાતમાં તેઓને હજી સુધી જોઈએ તે રીતે સફળતા નથી મળી રહી જેથી લોકો સુધી પહોંચવા માટે હવે ત્યાં ફરી એકવાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સીએમ મનિષ સિસોદિયા આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ આવશે અને રાત્રે અમદાવાદમાં હોટલમાં રોકાણ કરશે. આવતીકાલે 21 સપ્ટેમ્બરથી સાબરમતી આશ્રમથી બાપુના દર્શન કરી ગુજરાતમાં યાત્રાની શરૂઆત કરશે. 21સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતમાં યાત્રા કરશે. બસ હવે પરિવર્તન જોઈએ થીમ પર ઉત્તર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ યાત્રા અને સભાઓ ગજવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર