બિહાર: 16 જિલ્લામાં વાવાઝોડાના કારણે અને વીજળી પડવાથી 33ના મોત, વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો

શનિવાર, 21 મે 2022 (13:15 IST)
બિહારના 16 જિલ્લામાં તોફાન અને વીજળી પડવાથી 33 લોકોના મોત થયા છે. પીએમ મોદીએ બિહારમાં વાવાઝોડાના કારણે થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો છે. PM એ ટ્વિટ કર્યું કે ભગવાન મૃતકોના પરિવારને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે. તે જ સમયે, રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. અલગ-અલગ જગ્યાએ બનેલી આ ઘટનાઓ બાદ બિહાર સરકારની સાથે સ્થાનિક પ્રશાસન રાહત કાર્યમાં લાગેલું છે.

બિહારના મુખ્યમંત્રી કાર્યાલયે એક આદેશમાં જણાવ્યું હતું કે વાવાઝોડા અને વીજળી પડવાને કારણે 16 જિલ્લામાં 33 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રીએ ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન દ્વારા પાક અને ઘરના નુકસાનનું મૂલ્યાંકન કરવા અને પરિવારોને સહાય આપવા સૂચના આપવામાં આવી છે.

राज्य के 16 जिलों में आंधी एवं वज्रपात से 33 लोगों की मृत्यु दुःखद। मृतकों के आश्रितों को तत्काल 4-4 लाख रु० अनुग्रह अनुदान देने तथा आंधी एवं वज्रपात से हुई गृह क्षति एवं फसल क्षति का आकलन कर प्रभावित परिवारों को जल्द से जल्द सहायता राशि उपलब्ध कराने का निर्देश भी दिया गया। (1/2)

— Nitish Kumar (@NitishKumar) May 20, 2022

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર