સૌથી પાછળ રહી પણ ગુજરાત મુખ્યમંત્રી પદની રેસમાં આગળ કેવી રીતે નિક્ળ્યા ભૂપેંદ્ર પટેલ

સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (11:32 IST)
ભાજપાના નેતૃત્વમાં એક વાર ફરી ચોંકાવનાર નિર્ણય લેતા ગુજરાતમાં ભૂપેંદ્ર પટેલને નવો મુખ્યમંત્રી ચૂંટયૂ છે. પટેલ પાટીદારથી આવે છે તેથી ભાજપાના ચૂંટણીથી પહેલા રાજ્યના આ મુખ્ય સમુદાયને સાધ્યુ છે. પણ તે રાજ્યના બધા મોટા પાટીદાર નેતાઓના મુકાબલા ઓછા ચર્ચિત રહ્યા છે. ભૂપેંદ્ર પટેલના ચયન પાછળ એક કારણ ભાજપાના રાજ્યના મોટા પટેલ નેતાઓના વચ્ચે વર્ચસ્તની ગુટબાજી પણ ગણાઈ રહી છે. તે સિવાય તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ની પસંદની સાથે પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યપાલ આનંદીબેન પટેનના પણ નજીકી છે. 

ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે અને કડવા પાટીદાર છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવીને ભાજપ રાજકારણમાં રાજકીય સમીકરણ બનાવવાની પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાતમાં 2022 માં ચૂંટણી છે અને ભાજપ પટેલને મુખ્યમંત્રી બનાવીને પાટીદારોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે. જણાવી દઈએ કે ભપેન્દ્ર અત્યારે ઘાટોલોદિયા બેઠક પરથી ધારાસભ્ય છે.
 
ગુજરાતમા% ભાજપાના સતત બન્ને દિવસ ચોંકાવનાર નિર્ણય કર્યા. પ્રથમ શનિનારે વિજય રૂપાણીને રાજીનામુ અને રવિવારે ભૂપેંદ્ર પટેલને નવો નેતા ચૂંટાણા ઘાટલોદિયા સીટથી વિધાયક ભૂપેંદ્ર પટેલ રાજ્યમાં કેટલાક મહત્વની જવાબદારીઓ ભજવે છે. પણ સત્તાના ગળિયારામાં ન તો વધારે ચર્ચિત રહ્યા અને ન પાર્ટીના મોટા નેતાઓમાં વધારે શુમાર રહ્યા છે. વિધાયક પણ તે આનંદીબેન પટેલના રાજ્યપાલ બન્યા પછી તે સીટથી બન્યા છે. 
 
સૂત્રો મુજબ ભાજપા નેતૃત્વ રાજ્યમા% સાજાજિક સમીકરણને ઠીક કરી ચૂંટણીમાં ઉતરવાની સાથે પાટીદાર સમુદાયના મોટા નેતાઓ વચ્ચે વર્ચસ્તની લડતથી પણ છુટાક્રો ઈચ્છ્તો હતો. તેથી ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સૌરભ પટેલ અને જીતુ વાઘાણી જેવા નેતાઓના બદલે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલને પણ તેમની ચૂંટણીના સમાચાર માત્ર છેલ્લી ક્ષણોમાં જ મળ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ પણ વિદાયમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની પસંદગી હતા. જ્યારે ભાજપના નેતૃત્વએ ભૂપેન્દ્ર પટેલનું નામ રૂપાણી સમક્ષ મૂક્યું ત્યારે તેઓ પણ સંમત થયા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર