ભરોસો રાખો, બધાને મળશે !

વેબ દુનિયા

શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2009 (11:33 IST)
PIB

રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે વચગાળાનું રેલવે બજેટ રજુ કરતાં પહેલા લોકોને આશ્વાસન આપતાં કહ્યું હતું કે, અમારી ઉપર ભરોસો રાખો બધાને કંઇને કંઇને મળશે.

વધુમાં તેમણે કહ્યું કે, આ બજેટમાં દેશની અર્થવ્યવસ્થા તથા આમજનતાના ખિસ્સાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. બજેટમાં ભાડામાં કોઇ વધારો નથી. તેમણે કહ્યું કે, મંદી હોવા છતાં રેલવેની અર્થ વ્યવસ્થા પર ખાસ કંઇ ફરક પડ્યો નથી. જોકે બજેટ અંગે વધુ ટીપ્પણી કરવાની તેમણે ના પાડી હતી.

વેબદુનિયા પર વાંચો