Shardiya Navratri Colours 2025- આ નોરતાના નવ દિવસમાં જાણી લો ક્યાં દિવસે કયો રંગ પહેરશો
શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025 (15:47 IST)
નવરાત્રી અને શારદીય નવરાત્રી 2025 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ભક્તિ અને ભવ્યતા સાથે ઉજવવામાં આવશે. દરેક દિવસ મા દુર્ગાના દિવ્ય સ્વરૂપોનું પ્રતીક કરતા એક અનોખા રંગથી ચિહ્નિત થયેલ છે.
નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવ જુદા જુદા રંગોનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ ગણાય છે. એવું કહેવાય છે કે જે ભક્ત નવરાત્રીદરમિયાન દિવસ પ્રમાણે રંગોનો ઉપયોગ કરે છે તેને માતા ગૌરીના વિશેષ આશીર્વાદ મળે છે. પરંતુ હવે સવાલ એ થાય છે કે નવરાત્રિના કયા દિવસે કયો રંગ વાપરવો જોઈએ.